- વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીના બનાવથી શોકનું મોજું
મોરબી, તા.૧
મોરબીમાં આવેલા વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા બ્રાહ્મણ પરિવારમાં માતા અને બે યુવા વયની દીકરીઓએ સામુહિક આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે,
અગિયારેક માસ પૂર્વે આ જ પરિવારના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પુત્રએ નાપાસ થવાની આશંકાએ આપઘાત કર્યા બાદ ગુમસુમ રહેતી માતા અને પુત્રીઓએ અંતિમ પગલું ભર્યાનું હાલ બહાર આવ્યું છે. વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મંજુબેન ભરતભાઈ ખાંડેખા ઉ.45, તેમની પુત્રી સેજલ ભરતભાઈ ખાંડેખા ઉ.21 અને અંજલી ભરતભાઈ ખાંડેખા ઉ.19 નામની યુવતીએ અગમ્ય કારણોસર આજે પોતાનાઘેર આપઘાત કરી લેતા નાના એવા વાંકાનેર શહેરમાં હાહાકાર મચી ગયો છે. વધુમાં નજીકના વર્તુળોએ જણાવ્યું હતું કે મૃતક મંજુબેનના પતિ ભરતભાઈ ખાંડેખા કપાસની ગાડી ઉતારવાની કામગીરી કરે છે અને આર્થિક રીતે સંપન્ન પરિવારના તેજસ્વી પુત્રએ અગિયારેક માસ પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થવાની દહેશતે આપઘાત કરી લેતા માતા તથા બન્ને પુત્રીઓ ગુમસુમ રહેતા હતા અને આજે આ આત્યંતિક પગલું ભરી લેતા ભાટિયા સોસાયટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
દેવ સનાળીયા, મોરબી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં