સજીવ ખેતી (ORGANIC FARMING) એ કૃત્રિમ સંસાધનો (ઇનપુટસ)ના ઉપયોગ વગર તેમજ પર્યાવરણની ગુણવત્તાની જાળવણી અને વિકાસ કરીને, સ્થાનિક રીતે ઉપલબ્ધ કુદરતી સ્ત્રોત તથા રોગ/જીવાત નિંદામણ અને પોષક તત્વોની જેવિક વિવિધતાઓનો ઉપયોગ કરીને કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ટકાઉ ઉત્પાદન મેળવવાની સાતત્યપૂર્ણ પધ્ધતિ છે. આ પધ્ધતિ બરાબર કાર્યરત થાય તે માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલાંક ધારાધોરણો નકકી કરવામાં આવ્યા છે, જેને સેન્દ્રિયખેતીના ધારાધોરણો કહે છે.
- સેન્દિયખેતીનાધારાધોરણોનું વર્ગીકરણ
- આંતરરાષ્ટ્રીય ધારાધોરણ:IFOAM, Codex જેથી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ / કાનૂની સત્તાઓધ્વારા નકકી કરવામાં આવેલ ધારાધોરણો.
- પ્રાદેશિક ધારાધોરણો: વિશ્વના જુદા જુદાખંડોએ પણ પોતાનાં અલગ ધારાધોરણો વિકસાવ્યા છે જેવા કે, એશિયનધોરણો, યુરોપિયન ધોરણો વગેરે.
- રાષ્ટ્રીય ધારાધોરણો: જે તે દેશ ધ્વારા નકકી કરવામાં આવતાં રાષ્ટ્રીય ધારાધોરણો જેવાં કે યુએસડીએ પ્રમાણ, કેનેડિયનઓર્ગેનિક પ્રમાણ, એન.એસ.ઓ.પી. વગેરે. ભારતમાં સજીવ ઉત્પાદન માટે રાષ્ટ્રીય સજીવ ઉત્પાદન કાર્યક્રમ (NPOP) અંતર્ગત સંસ્થાકીયવ્યવસ્થાના અમલ ધ્વારા આંતરરાષ્ટ્રીય ધારાધોરણોને અનુલક્ષીને રાષ્ટ્રીય ધારાધોરણો અંતર્ગત કૃષિ પેદાશોને પ્રમાણિત કરવામાં આવે છે.
- ધારાધોરણોનાં પ્રકાર
- તબદીલીનો સમયગાળો
ખેડૂત જયારે રાસાયણિક ખેતીમાંથી તેની ખેતીને સેન્દ્રિય ખેતીમાં તબદીલ કરે છે ત્યારે આ તબદીલી માટે પાક, જમીન, હવામાન વગેરે પરિબળોને ધ્યાનમાં રાખીને તબદીલીનો સમયગાળો નકકી કરવામાં આવે છે. સામાન્ય રીતે સેન્દ્રિય ખેતી હેઠળ પાકની વાવણીના બે વર્ષ પહેલા સુધીનો સમય તબદીલી સમયગાળો ગણવામાં આવે છે. તેમાં પણ ઘાસચારા સિવાયના બહવષાંયપાકોની વાવણી થઈ ગયેલ હોય તો આ સમયગાળો ત્રણ વર્ષનો ગણવામાં આવે છે. આ સમયગાળાદરમ્યાનની કૃષિ પેદાશોને ‘તબદીલી કાર્યવાહી’ નું લેબલ લગાવી બજારમાં વેચી શકાય છે.
- પાકની જાતની પસંદગીના ધારાધોરણો
પસંદ કરેલ જાતનું બીજ ‘સજીવ ખેતી’ પ્રમાણિત સંસ્થા દવારા પ્રમાણિત હોવુ જોઈએ. પસંદ કરેલ બીજ ‘જીનેટિકલીમોડિફાઈડ’ હોવું જોઈએ નહિ દા.ત. બીટી કપાસ. પ્રમાણિત બીજ અપ્રાપ્ય હોય તો સ્થાનિક (લોકલ) જાતનો ઉપયોગ થઈ શકે.
- સેન્દ્રિય પોષક તત્વો માટેનાં ધારાધોરણો
સ્થાનિક રીતે તેયાર કરેલ કમ્પોસ્ટ/વર્મિકમ્પોસ્ટ વાપરી શકાય. બહારથી લાવેલસેન્દ્રિય પોષક તત્વો કે કૃત્રિમ (રાસાયણિક) પોષક પદાર્થોનો ઉપયોગ ન થઈ શકે. બહારથી લાવેલસેન્દ્રિય ખાતર, જો ‘સજીવ ખેતી પ્રમાણિત સંસ્થા / ખેતર’માંતેયાર કરેલ હોય તો ઉપયોગમાં લઈ શકાય. પોષક દ્રવ્યમાં રહેલ ભારે ધાતુઓને દૂર કરવા તેમજ અકાર્બનિકતત્વોનાસમૃધ્ધિકરણ (મિનરલએનરીચમેન્ટ) માટે રાસાયણિક માવજત આપવા પૂરતી રોક ફોસફેટ અને બેજીકલેગનાઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. માનવ વપરાશમાં લેવાનાશાકભાજીનાપાકોમાં માનવ મળ-મૂત્ર ધરાવતાં સેન્દ્રિયખાતરોનો વપરાશ ન થઈ શકે.
- પાકની ફેરબદલી માટેનાં ધારાધોરણો
જમીનની ફળદ્રપતા વધારવા માટે પાકની ફેરબદલીમાંકઠોળપાકોને સ્થાન આપવું. પાક ફેરબદલી/આંતરપાકવ્યવસ્થામાં એવા ફેરફારો કરવા કે જેથી જમીનની ફળદ્રપતા વધે, નીંદામણ, રોગ અને જીવાતનો ઉપદ્રવ ઘટે અને પાણીનો ભરાવો તથા પોષક તત્વો (નાઈટ્રેટ)નું જમીનમાં અંદર ઉતરવું (લીચિંગ) ઘટે.
- નીંદામણ, રોગ/જીવાત વ્યવસ્થાના ધારાધોરણો
કૃત્રિમ નીંદણનાશકો, જીવાતનાશકો, ફૂગનાશકોવગેરેના ઉપયોગ પર પ્રતિબંધ. આરક્ષિત ખેતી પધ્ધતિઓઅપનાવવી જેવી કે: સાનકળ પાક ફેરબદલી, આવરણનો ઉપયોગ, યાંત્રિક નિયંત્રણ, ફેરોમેનટ્રેપ/પ્રકાશ પિંજરનો ઉપયોગ, સોઈલસોલરાઇઝેશન, વાનસ્પતિકજંતુનાશકો તથા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ
- પાક સંરક્ષણને લગતા ઉત્પાદનોના ધારાધોરણો
સજીવ ખેતીનાપ્રમાણન માટે માન્ય કરેલ પાકસરંક્ષણપદાર્થો જ વાપરવાજરૂતી છે. સરંક્ષણ માટે માન્ય કરેલ પદાર્થો છે – ફેરોમેન, ક્રોમેટિકટ્રેપ, ફુગ/વાઇરલ/બેક્ટેરિયલપ્રીપરેશન, મધમાખીનું મીણ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કોફી પાઉડર, ઇથાઇલ આલ્કોહોલ, આવરણ, લીમડો, પરજીવી/પરભક્ષી
- સેન્દ્રિય પોષક તત્વો માટેનાં ધારાધોરણો
સજીવ ખેતીનાપ્રમાણન માટે માન્ય કરેલ સ્વનિર્મિતસેન્દ્રિય પોષક: છાણિયું ખાતર, સ્લરી, મુત્ર, કમ્પોસ્ટ/વર્મિકમ્પોસ્ટ, પાનનું ખાતર, અઝોલા, જૈવિક ખાતર
- જળ અને જમીન સંરક્ષણના ધારાધોરણો
સાતત્યતા જળવાય તે રીતે માવજત કરવી, અતિશય ઉપયોગ ટાળવો, ક્ષારીયતા, ધોવાણ અને અયોગ્ય ઉપયોગ ટાળવો. પાક અવશેષોબાળીને જમીનને ચોખ્ખી કરવા પર પ્રતિબંધ. જંગલને બાળીને (નાશ કરીને) જમીનને કૃષિ યોગ્ય બનાવવા પર નિષેધ.
- પેકેજીગ માટેના ધારાધોરણો
પેકેજીગ માટેની વસ્તઓ પર્યાવરણ-મિત્ર (ઈકોફેન્ડલી) હોવી જોઈએ. અનાવશ્યક પેકેજીંગ સાધનોનો ઉપયોગ ટાળવો. પુનઃવપરાશમાં લઈ શકાય તેવી વસ્તઓનો ઉપયોગ કરવો. પેકેજીંગમાં વપરાતી વસ્તઓપેદાશને દૂષિત કરે તેવી ના હોવી જોઈએ.
- લેબલિંગ માટેનાં ધારાધોરણો
જયારે પ્રમાણિત એજન્સીને ઉત્પાદિત પેદાશો સંપૂર્ણ ધારાધોરણો અનુસાર પેદા થયાનાંપૂરાવા મળે ત્યારે તેને ‘સેન્દ્રિય’ તરીકે પ્રમાણિત કરવામાં આવે છે. આ લેબલિંગસેન્દ્રિયપેદાશોને અન્ય પેદાશોથી અલગ તારવી શકે તેવું હોવુ જરૂરી છે.
- સંગ્રહ અને પરિવહન માટેનાં ધારાધોરણો
પેદાશોની ગુણવત્તા જળવાવી જોઈએ. અન્ય પેદાશો જોડે મિશ્રિત થઈ દૂષિત ન થાય તનું ધ્યાન રાખેલ હોવુ જોઈએ. સેન્દ્રિયપેદાશોની આગવી ઓળખ જળવાવી જોઈએ. પેદાશોની તાજગી અને ગુણવત્તા જાળવી રાખવા માટે યોગ્ય માધ્યમ અને પધ્ધતિઓનો ઉપયોગ થયેલો હોવો જોઈએ.
૧.ડો. આનંદ કુમાર વાઘેલા
૨. શ્રી સિદ્ધરાજ સિંહ ચૌહાણ
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં