અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના Food વિભાગ દ્વારા Food બિઝનેસમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાની કામગીરીમાં વધુ પારદર્શિતા લાવવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં 11,123 રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને રસોડામાં CCTV લગાવી તેનું લાઈવ પ્રસારણ રિસેપ્શન અને ગ્રાહકોની બેઠક વ્યવસ્થા પાસે રાખવા ઈ-મેઈલથી સૂચના આપવામાં આવી છે.આ નિર્ણયથી હવે ગ્રાહકો રેસ્ટોરન્ટમાં જ પોતાના ફૂડની તૈયારી થતી હોય તે રસોડાની કામગીરી લાઈવ જોઈ શકશે. ફૂડ વિભાગે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન નહીં કરનારા એકમો સામે કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.
Food વિભાગની કડક કાર્યવાહી, અનેક એકમો સામે ચેકિંગ
19 ઓગસ્ટના રોજ હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન FSSAIના નિયમોનું ઉલ્લંઘન, અસ્વચ્છતા, જીવાત અને ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી મળી આવતાં કોલેજ કેન્ટીન સહિત જાણીતા આઉટલેટ્સને સીલ કરવામાં આવ્યા હતા.Foodવિભાગે સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે લાયસન્સ રદ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
રસોડાનું લાઈવ CCTV પ્રસારણ અને FSSAIના નિયમોનું પાલન
ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે Food Safety and Standards Act, 2006 તથા FSSAIની ગાઈડલાઈન્સ મુજબ દરેક એકમ માટે રસોડાની સ્વચ્છતા જાળવવી ફરજિયાત છે.આ ઉપરાંત Food હેન્ડલર્સની વ્યક્તિગત હાઈજીન, કાચા અને રાંધેલા ખોરાકનું અલગ સ્ટોરેજ, પીવા અને રસોઈ માટે સલામત પાણી, નિયમિત પેસ્ટ કંટ્રોલ અને કચરાના યોગ્ય નિકાલ જેવા નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.ગ્રાહકો પોતાની નજરે રસોડાની કામગીરી જોઈ શકે તે માટે CCTVનું લાઈવ ફીડ દર્શાવવાનું રહેશે. ફૂડ પદાર્થોને ધૂળ, જીવાત તથા અન્ય દૂષિત વસ્તુઓથી સુરક્ષિત રાખવા, માત્ર નિર્ધારિત કૂડ કલર વાપરવા અને રસોઈમાં ખાવાના તેલનો યોગ્ય ઉપયોગ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.બેદરકારી અથવા નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગંભીર અથવા વારંવારના ઉલ્લંઘનના કિસ્સામાં લાયસન્સ રદ કરી એકમને સીલ પણ કરવામાં આવી શકે છે.
અસ્વચ્છતા, જીવાત અને ભેળસેળ બદલ એકમો સીલ
Food વિભાગના ચેકિંગ દરમિયાન સૈજપુર બોઘા સ્થિત મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજમાં ચાલતી RKR કેટરર્સની કેન્ટીનમાં FSSAI લાયસન્સનો અભાવ, ગંદકી અને ખાદ્ય પદાર્થોમાં કીડી-ધનેરા જેવી જીવાત મળી આવતાં તેને સીલ કરવામાં આવી છે.
MAD OVER GRILLS, મણિનગર
સ્ટોર રૂમના પીપમાં સંગ્રહિત મેંદામાંથી જીવતી જીવાત મળી આવતાં એકમને સીલ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ઓનલાઈન રાખડી (Rakhi) ખરીદતા પહેલાં સાવધાન: રક્ષાબંધન પર 7 પ્રકારના સાયબર સ્કેમથી બચો, એક ક્લિકમાં ખાતું થઈ શકે ખાલી
રાજેશ દૂધ ઘર અને ભૈરવનાથ ભોજનાલય
કુબેરનગરના રાજેશ દૂધ ઘર અને પ્રખ્યાત રોડના ભૈરવનાથ ભોજનાલયમાં મીડિયમ અને લો-ફેટ પનીરનો જથ્થો અપ્રમાણિત જણાતાં બંને એકમોને સીલ કરવામાં આવ્યા હતા.
સંતોષ ઘી ભંડાર
દિલ્હી દરવાજા સ્થિત સંતોષ ઘી ભંડારમાં વનસ્પતિ તેલમાંથી બનાવટી ઘી બનાવવામાં આવતું હોવાનું પકડાતાં નમૂના લઈ એકમને સીલ કરવામાં આવ્યું હતું.
સમ્રાટ બેકરી અને સબરુ ચાઈનીઝ મોકલાઈ એન્ડ તવા ફ્રાય
બહેરામપુરની સમ્રાટ બેકરી અને સરખેજના સબરુ ચાઈનીઝ મોકલાઈ એન્ડ તવા ફ્રાયમાં FSSAI લાયસન્સનો અભાવ, ગંદકી તેમજ કારીગરોના મેડિકલ અને પાણીના ટેસ્ટિંગ રિપોર્ટ ન હોવાથી બંને એકમોને બંધ કરાવવામાં આવ્યા હતા.
ગ્રાહકો માટે Food ની પારદર્શિતા વધારવાનો પ્રયાસ
અમદાવાદમાં Food બિઝનેસને લઈને લેવામાં આવેલા આ નિર્ણયથી ગ્રાહકોને રેસ્ટોરન્ટના રસોડાની સ્વચ્છતા અને કામગીરી અંગે વધુ પારદર્શિતા મળવાની શક્યતા છે. રિસેપ્શન અથવા ગ્રાહકોની બેઠક વ્યવસ્થા પાસે કિચનનું લાઈવ CCTV ફીડ દર્શાવવાથી ગ્રાહકો પોતાની નજરે રસોડાની કામગીરી જોઈ શકશે.ફૂડ વિભાગે તમામ રેસ્ટોરન્ટ અને Food બિઝનેસ ઓપરેટર્સને નિયમોનું કડક પાલન કરવા સૂચના આપી છે. નિયમોના ભંગના કિસ્સામાં સીલ અને લાયસન્સ રદ જેવી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી

