શ્રીરામ નામ નુ મહત્વ
શ્રીરામ નામનું મહત્વ: શ્રી રામ શબ્દમાં ત્રણ અક્ષર છે . રામ… ‘૨’ એટલે અગ્નિનું બીજ જે અશુભ કર્મને બાળે છે. ‘અ’ એટલે સુર્યનું બીજ તે અહંકાર નાશ કરે છે અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે મ એટલે ચંદ્રનું બીજ આધી વ્યાધી અને ઉપાઘી હરી લે છે. રામ નામ ૐકાર સમાન છે. બીજા બધા મંત્ર જાપ બોલવામાં નીતિ નિયમ છે. ફક્ત રામ નામના મંત્ર જ એવો છે કે જે કોઈપણ જગ્યાએ કોઈપણ સમયે બોલી શકાય છે. ઘર મા ..પૂજા મંદિર અને સ્મશાનમાં પણ બોલી શકાય છે. સોમવાર ના દિવસે . રામ નામનું લેખન કરવું. જપ કરવા ઉત્તમ ગણાશે શ્રીરામના ૭ સૌથી સરળ મંત્રોમાં છે. દરેક મુશ્કેલી દૂર કરે છે રામનવમી પર પ્રભુ રામના ૭ મંત્ર તમારી મુસિબતો દૂર કરશે. ૨૨ જાન્યુઆરી સોમવાર ના દિવસે આ મંત્રના જપ પણ કરવા પણ ઉત્તમ છે.
(૧) ‘રામ‘ આ મંત્ર કોઈપણ જગ્યાએ બોલી શકાય છે કોઈપણ સમયે બોલી શકાય છે મહામંત્ર છે જીવનની મુસીબત દૂર કરે છે અને શાંતિ આપે છે
(૨) ‘રાં રામાય નમઃ આ મંત્રના જપ કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે (૩) રામચંદ્રાય નમઃ આ મંત્રના જપથી જીવનના કક્લેશ દૂર થાય છે
(૪) ૐ રામભદ્રાય નમઃ ‘ કાર્યની સિધ્ધિ માટે પ્રભાવી મંત્ર છે
(૫) ‘ૐ નમો ભગવતે રામચંદ્રાય’ આ મંત્ર આપત્તિના નિવારણ છે (૬) ‘શ્રી રામ જય રામ જય- જય રામ આ મંત્ર શુભ મનોકામના માટે
(૭) ‘ શ્રીરામ ગાયત્રી મંત્ર’- ‘ૐ દશરથાય વિદ્દમહે સીતા વલ્લભાય ધીમહિ તત્રો રામઃ પ્રચોદયાત’
શ્રીરામ નામ સર્વ કાર્ય સિદ્ધ આપે છે
કોઈપણ વ્યક્તિ બધા જ આ મંત્ર જપી શકે છે. ૨૨ જાન્યુઆરી સોમવારના દિવસે રામચંદ્ર ભગવાનનું સ્થાપન કરી પૂજન કરી અને આ મંત્ર જપનું અનુષ્ઠાન કરવું ઉત્તમ ફળદાય છે. તે ઉપરાંત દરરોજ પણ આ મંત્ર જપનુ અનુષ્ઠાન કરી શકાય છે સાથે ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના દિવસે રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો પણ ઉત્તમ છે.
શ્રી રામભગવાન નુ પૂજનઃ- ૨૨ જાન્યુઆરી સોમવાર ના દિવસે બપોરે ૧૨ વાગ્યે શ્રીરામચંદ્ર ભગવાનનું પુજન કરવું ઉત્તમ છે. એક બાજોઠ કે પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર રામચંદ્ર ભગવાનની છબી પધરાવી. છબીની બાજુમાં દિવો કરવો. ભગવાનને ચંદનનું તિલક, ચોખા કરી પોતે પણ ચાંદલો કરવો. ભગવાનને ફુલ અર્પણ કરવું. ચોખા, અબીલ, ગુલાલ અર્પણ કરવા. નૈવેદ્દમાં પંજરી ઘરાવવી, ફળ ઘરાવવા. આ બધી પુજા કરતા કરતા શ્રીરામ નામ ઘરના બધા જ સભ્યોએ લેતા રહેવું. ત્યારબાદ રામ ભગવાનની આરતી ઉતારી અને ક્ષમાયાચના માંગવી. આ દિવસે સાથે લક્ષ્મણજી અને સિતાજીનું પણ પુજન કરવું ઉત્તમ છે. ૨૨ જાન્યુઆરીના દિવસે બપોરે( સૌરાષ્ટ્ર મા)અભિજીત મુર્હુત ૧૨.૩૫ થી ૧.૧૫ સુધી છે. તેમાં પણ શ્રીરામ ચંદ્ર ભગવાનનું પુજન કરવું ઉત્તમ છે.
જ્યોતિષી રાજદીપ જોશી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં