બોલિવૂડના દિગ્ગજ એક્ટર મનોજ કુમારે (Manoj Kumar) 87 વર્ષની વયે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. આ કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના ફિલ્મી કૅરિયરમાં ઘણી દેશભક્તિની થીમ ધરાવતી મૂવી કરી હતી. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
બોલિવૂડમાં દેશભક્તિપૂર્ણ ફિલ્મો બનાવવાનો શ્રેય મનોજ કુમાર (Manoj Kumar) ને જાય છે. તેમણે પોતાની કારકિર્દીમાં તમામ પ્રકારની ફિલ્મો કરી, પરંતુ તેમની દેશભક્તિની ફિલ્મો કંઈક અલગ જ હતી. પોતાની ફિલ્મો દ્વારા તેમણે દેશ અને સમાજનું સત્ય દર્શકો સમક્ષ ઉજાગર કર્યું. મનોજ કુમારની આ ફિલ્મો સદાબહાર છે અને આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ચાલો આજે તેમની આવી ફિલ્મો વિશે જાણીએ જેમાં દેશ, સમાજ અને પરિવારના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.
મનોજ કુમાર (Manoj Kumar) ની પાંચ ફિલ્મો
શહીદ
1965 માં શહીદ ફિલ્મ રિલીઝ થઈ હતી અને તેમાં મનોજ કુમારે (Manoj Kumar) શહીદ ભગતસિંહની ભૂમિકા ભજવીને દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું. આ ફિલ્મ તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. શહીદને બિંદીની શ્રેષ્ઠ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
ઉપકાર
મનોજ કુમાર (Manoj Kumar) દ્વારા નિર્દેશિત ફિલ્મ ઉપકાર 1967 માં રિલીઝ થઈ હતી અને તે જય જવાન જય કિસાન પર આધારિત હતી. આ ફિલ્મમાં મનોજ કુમારે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, સ્ક્રીનપ્લે અને ડાયલોગ કેટેગરીમાં ફિલ્મફેર પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ બ્લોકબસ્ટર બન્યા પછી, મનોજ કુમારનું નામ ભારત કુમાર રાખવામાં આવ્યું.
પૂરબ ઔર પશ્ચિમ
1970 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’નું દિગ્દર્શન પણ મનોજ કુમારે જ કર્યું હતું. આ ફિલ્મે લોકોની નસોમાં દેશભક્તિના ઉત્સાહને ભરી દીધો. આ ફિલ્મ વિદેશમાં રહેતા ભારતીયોની વાર્તા પર આધારિત હતી.
આ પણ વાંચો : Ghibli ની ઈમેજ ભૂલી જાઓ! ChatGPT તમારા 10 પ્રકારના રમુજી ફોટા બનાવી શકે છે
રોટી, કપડાં ઔર મકાન
મનોજ કુમાર (Manoj Kumar) ની ફિલ્મ “રોટી, કપડા ઔર મકાન” 1976 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર-ડુપર હિટ પણ રહી હતી. આમાં, ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી દેશની બગડતી પરિસ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં સામાન્ય માણસની રોટી, કપડાં અને મકાન જેવી મૂળભૂત જરૂરિયાતો દર્શાવવામાં આવી હતી.
ક્રાંતિ
મનોજ કુમારની 1981 ની ફિલ્મ ક્રાંતિ પણ દેશભક્તિ પર આધારિત ફિલ્મ છે. આમાં ભારતીયો પર અંગ્રેજોના અત્યાચારો દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં મનોજ કુમાર, દિલીપ કુમાર, હેમા માલિની, શત્રુઘ્ન સિંહા અને શશિ કપૂરે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી