12 જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયા (Air India) બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન અંગે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક તપાસ અહેવાલમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, એર ઇન્ડિયા (Air India) એ છેલ્લા છ વર્ષમાં બે વાર આ વિમાનનું થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ (TCM) બદલ્યું હતું. પહેલી વાર 2019માં અને બીજી વાર 2023માં.
થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ શું છે?
TCM એક મહત્વપૂર્ણ ફ્લાઇટ સિસ્ટમ છે, જેમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ પણ શામેલ છે. આ એ જ સ્વીચો છે જે હવે અકસ્માત તપાસના કેન્દ્રમાં આવી ગઈ છે, કારણ કે 12 જૂને અમદાવાદથી ટેકઓફ કર્યા પછી તરત જ આ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અચાનક બંધ થઈ ગઈ હતી, જેના પછી આ અકસ્માત થયો હતો.
બોઇંગની સૂચના પર આ ફેરફાર કરવામાં આવ્યો હતો
સૂત્રોના જણાવ્યા અનુસાર, TCM બદલવાનો નિર્ણય 2019 માં બોઇંગ દ્વારા જારી કરાયેલા નિર્દેશ પછી લેવામાં આવ્યો હતો. આ સૂચનાનું પાલન કરીને એર ઇન્ડિયા (Air India) એ 2019 અને 2023 માં ડ્રીમલાઇનર એરક્રાફ્ટ VT-ANB ના TCM માં ફેરફાર કર્યો હતો.
AAIB રિપોર્ટ શું કહે છે?
AAIB ના પ્રાથમિક અહેવાલમાં ઉલ્લેખ છે કે TCM ને બે વાર બદલવામાં આવ્યું હતું, પરંતુ તેનો ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની કામગીરી સાથે કોઈ સીધો સંબંધ હોવાનું જાણવા મળ્યું નથી. જો કે, તપાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અકસ્માત સમયે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અચાનક બંધ થઈ જવું એ તપાસનો એક મહત્વપૂર્ણ વિષય છે.
આ પણ વાંચો : 8 બોલમાં 6 વિકેટ… 2 ઓવરમાં 2 હેટ્રિક! ભારતીય મુળના કિશોર સાધકે (Kishore Sadhak) રચ્યો ઈતિહાસ, જાણો કેવી રીતે
એર ઇન્ડિયા (Air India) અકસ્માતની તપાસ પર પ્રશ્નો ઉઠાવાયા
એરલાઇન પાઇલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ALPAI) એ એર ઇન્ડિયા (Air India) વિમાન અકસ્માત અંગે તપાસ પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કર્યા છે. સંગઠને કહ્યું છે કે તપાસ શરૂઆતથી જ પાઇલટની ભૂલ તરફ ઝોક ધરાવતી હોય તેવું લાગે છે, જે તપાસને પક્ષપાતી બનાવી શકે છે.
ALPAI એ નિષ્પક્ષ અને તથ્ય આધારિત તપાસની માંગ કરી હતી અને કહ્યું હતું કે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા ટેકનિકલ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી
