પંજાબના સ્વ-ઘોષિત પાદરી બજિંદર સિંહ (Bajinder Singh) ને તાજેતરમાં મોહાલી કોર્ટે બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આજે (મંગળવાર, ૧ એપ્રિલ) કોર્ટે બજિન્દર સિંહને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં છેલ્લી સુનાવણી 28 માર્ચે થઈ હતી, જ્યારે તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે બજિન્દર સિંહ (Bajinder Singh) ને બળાત્કાર કેસમાં દોષિત ઠેરવ્યા હતા.
આ બળાત્કારનો કેસ વર્ષ 2018નો છે. પીડિતાનું કહેવું છે કે તે છેલ્લા 7 વર્ષથી ન્યાય મેળવવા માટે કોર્ટ અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે. પીડિતાએ દાવો કર્યો હતો કે તેના જેવી બીજી ઘણી સ્ત્રીઓ હતી જેનું પાદરી બજિન્દર સિંહ (Bajinder Singh) દ્વારા શોષણ કરવામાં આવ્યું હતું.
ઓછી સજા માટે અપીલ કરી હતી
બળાત્કાર પીડિતાના વકીલ અનિલ સાગરે જણાવ્યું હતું કે કોર્ટે પાદરીને આજીવન કેદની સજા ફટકારી છે, જેનો અર્થ એ છે કે તેમને મૃત્યુ સુધી જેલમાં રહેવું પડશે. મૃત્યુદંડ પછી આ સૌથી મોટી સજા છે. આનાથી તે લોકોને પણ થોડી સમજ મળશે કે જેમને તે પોતાનો જાદુ બતાવીને મૂર્ખ બનાવતો હતો. તેમણે (પાદરી બજિન્દર સિંહ) અપીલ કરી હતી કે તેમને ઓછી સજા આપવામાં આવે પરંતુ કોર્ટે તે સ્વીકારી ન હતી.
શું બજિન્દર સિંહે (Bajinder Singh) પણ લોકોને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું?
પીડિતાએ દાવો કર્યો હતો કે બજિન્દર સિંહ (Bajinder Singh) ધર્મના નામે લોકોને મૂર્ખ બનાવી રહ્યો હતો. બજિન્દર સિંહને ધર્મ પરિવર્તન માટે બહારથી હવાલાના પૈસા પણ મળતા હતા.
‘બજિન્દર સિંહ એક જાનવર છે’
પાદરી બજિન્દર સિંહ (Bajinder Singh) વિરુદ્ધ બળાત્કારના કેસમાં ફરિયાદીએ કહ્યું હતું કે પોતાને પાદરી કહેવડાવનાર બજિન્દર સિંહ એક જાનવર છે અને તેને ઓછામાં ઓછી 20 વર્ષની સજા થવી જોઈએ.
શું છે આખો મામલો?
વર્ષ 2018માં, એક મહિલાએ મોહાલીના ઝીરકપુર પોલીસ સ્ટેશનમાં બજિન્દર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પીડિતાએ કહ્યું હતું કે બજિન્દર સિંહે તેને વિદેશ લઈ જવાની લાલચ આપીને તેનું શોષણ કર્યું હતું. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે બળાત્કારનો વીડિયો બનાવ્યા પછી, તેણે ધમકી આપી હતી કે જો પીડિતા તેનું કહેવું નહીં માને તો તે વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ કરી દેશે.
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહી